રૂસ્તમબાગ ને આંગણે સાકાર થયેલ ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર
શ્રી સ્વામિનારાયણ મંદિર - રૂસ્તમબાગ, સુરતમાં નવ્ય-ભવ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ થયું છે.
આ મંદિર બંસીપહાડપુર પથ્થરનું બન્યું છે. આ મંદિર ની લંબાઈ = 175 ફૂટ,
પહોળાઈ = 95 ફૂટ અને ઊંચાઈ = 75 ફૂટ છે.
જ્યાં ભગવાન સ્વામિનારાયણ સંવત 1881 માં પાંચસો પરમહંસો સાથે બે દિવસ રહ્યાં છે.
અહીં શ્રીજી મહારાજ થાળ જમ્યા છે, આંબલીની ડાળીએ હિંડોળે ઝૂલ્યા છે અને પારસી ભક્ત શ્રી અરદેશરજી કોટવાળને પોતાની પાઘ અર્પણ કરી છે; જે આજે પણ સુરતમાં દર્શન આપે છે. અહીં પ્રભુએ નંદસંતો સાથે તાપીમાં સ્નાન કરેલ છે. અને જે ભૂમિને નીલકંઠવર્ણીવેષે સંવત 1855માં આવી પોતાના ચરણથી અંકિત કરેલ છે તે સ્થાન એટલે સ્વામિનારાયણ મંદિર - રુસ્તમબાગ.